કોઈ પણ કારણ હશે તો ચાલશે !
સાવ સુક્કું રણ હસે તો ચાલશે !

આ હ્રદયના બારસાખે મૂકવા;
આંસુનું તોરણ હશે તો ચાલશે !

રંગની મારે કશી પરવા નથી;
એકલો ફાગણ હશે તો ચાલશે !

સાવ હું ભીંજઉં નહિ તો કૈં નહિ;
આંખમાં શ્રાવણ હશે તો ચાલશે !

તું યુગોની જિંદગી જીવે ભલે;
પણ ‘તરલ’ને ક્ષણ હશે તો ચાલશે !

ભરત ભટ્ટ ‘તરલ’

Related posts:

  1. ભુલા પડ્યા હશે – નરેન્દ્ર જોશી
  2. તારી ઇચ્છાઓ જાણવાની છે..ભરત વિંઝુડા
  3. કોરા કાગળ પર લીટી દોરે સખી – ભરત વિંઝુડા
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.
4 Responses
  1. રાજની says:

    તું યુગોની જિંદગી જીવે ભલે;
    પણ ‘તરલ’ને ક્ષણ હશે તો ચાલશે !

    આ હ્રદયના બારસાખે મૂકવા;
    આંસુનું તોરણ હશે તો ચાલશે !

    સરસ ગઝલ..બે શેર કઈક વધારે ગમ્યા

  2. થોડુ હોય તો પણ ચાલશે.
    ઘણ બધા નુ હોવુ જરુરી નથી.
    જીવન જીવવ માટે ક્ષણ પણ ઘણી છે.
    સરસ.

  3. sudhir patel says:

    કવિ મિત્ર ભરત ભટ્ટ ‘તરલ’ની ખૂબ જ સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

Leave a Reply

આપને કેવું લાગ્યું?